આંધ્રપ્રદેશના નેતાએ બળતામાં ઘી હોમ્યું: ટીડીપીના નેતાએ કહ્યું આંધ્રપ્રદેશમાં તો મુસ્લિમ આરક્ષણ ચાલું જ રહેશે, તેમાં કોઈ વાંધો જ નથી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan07062024_062039_223.webp)
- 07 Jun, 2024
નવી સરકાર બનાવવા માટે હાલ દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેડીયુ, એલજેપી અને ટીડીપી સંસદીય દળની બેઠક પૂર્ણ થયા પછી હવે એનડીએના સંસદીય દળની બેઠક થવાની છે. આ દરમિયાન તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના નેતા રવિન્દ્ર કુમારે મુસ્લિમ આરક્ષણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આંધ્રમાં મુસ્લિમ આરક્ષણ ચાલુ રહેશે.
જ્યારે ટીડીપી નેતા રવિન્દ્ર કુમારને પૂછવામાં આવ્યું કે શું આંધ્રપ્રદેશમાં મુસ્લિમ આરક્ષણ ચાલુ રહેશે કે નહીં? આના જવાબમાં તેમણે કહ્યું, "...હા, અમે તેને ચાલુ રાખીશું. તેમાં કોઈ સમસ્યા નથી." તેમણે વધુમાં કહ્યું, '.. આજે એનડીએની બેઠક છે. પ્રથમ બેઠક 5 જૂને મળી હતી. આજે બીજી બેઠક છે. બીજી બેઠકમાં એનડીએના સહયોગી દળો પાસેથી થોડી મદદ લેવામાં આવશે. જે બાદ એનડીએ સાંસદોની બેઠક પણ યોજાશે.
રવિન્દ્ર કુમારે કહ્યું, 'વડાપ્રધાન 9 જૂને શપથ લે તેવી અપેક્ષા છે, તેથી તે પહેલાં અમારે NDA નેતાની પસંદગી કરવી પડશે અને રાષ્ટ્રપતિને જરૂરી વિનંતીઓ સબમિટ કરવી પડશે. તે પછી સાંસદોની બેઠક થશે અને તે પછી મુદ્દાઓ પર ચર્ચા કરીશું...'વાસ્તવમાં ચૂંટણી દરમિયાન ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુએ મુસ્લિમ અનામતને લઈને કહ્યું હતું કે, નોકરીઓમાં 4% અનામત જેવા કેટલાક મુદ્દા છે. હા, તેઓ (મુસ્લિમો) પાત્ર છે. અમે રક્ષણ કરીશું. બીજો કોઈ વિચાર નથી. કારણ કે મુસ્લિમોમાં ગરીબી વધુ છે. તેઓ આર્થિક, સામાજિક અને રાજકીય રીતે પાછળ રહી ગયા છે. તેમને અનામત આપવાની જવાબદારી અમારી છે. અમે આપીશું.
તે જ સમયે, જ્યારે એન ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશમાં એનડીએના સહયોગી ટીડીપી, જનસેના અને ભાજપનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, ત્યારે તેમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામતનો ઉલ્લેખ નહોતો. મેનિફેસ્ટોની વિશેષતા 'સુપર સિક્સ' હતી, જેમાં 19 થી 59 વર્ષની વયની મહિલાઓ માટે રૂ. 1,500 માસિક પેન્શન, યુવાનો માટે 20 લાખ નોકરીઓ અથવા રૂ. 3,000 માસિક બેરોજગારી ભથ્થું અને મહિલાઓ માટે મફત બસ મુસાફરીનો સમાવેશ થતો હતો.